(૧)
સ્વપ્નું પણ કેવું કોરુંઘાકોર નીકળ્યું!
આમ તો શ્રાવણરાતને છેલ્લે પ્હોર નીકળ્યું.
બાવળ સમજી જેની નકરી કરી ઉપેક્ષા;
બળબળતા વૈશાખમાં એ ગુલમ્હોર નીકળ્યું.
જીવનના આ ચીત્રફલકનું તે શું કહેવું?
ઘાર્યું તું કંઇ ઔર અને કંઇ ઔર નીકળ્યું!
પુનમરાતે સ્મરણોનો ગુંથ્યો મઘપુડો;
ચાંદરણું મારા કાળજની કોર નીકળ્યું.
ટહુકાઓના પડઘાથી આકાશ સભર છે;
ચોમાસાનું પગલેપગલું મોર નીકળ્યું.
મારાં ગીતોનાં ઇંડાં તુજ માળે ફૂટયાં;
વીયોગનું પંખી વૈરી ચીતચોર નીકળ્યું.
છાતી દડદડ, [...]
Archive for September, 2008
ગઝલ– ભગવતીકુમાર શર્મા
Posted in કવીતા on September 25, 2008 | 6 Comments »
મોનાલીસાનું સ્મીત- હરનીશ જાની
Posted in લેખ on September 15, 2008 | 13 Comments »
મોનાલીસાનું ચીત્ર, યાદ છે ત્યાં સુધી, નવ વરસનો, ચોથા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર જોયું હતું. ત્યારે પંડ્યાસાહેબે મોનાલીસાના સ્મીતની વાત સમજાવી હતી. તે ઉંમરે મને મોનાલીસા મરદ લાગતી હતી અને સ્મીતની તો વાત જ નહોતી. વરસો પછી ખબર પડી કે આ ફોટો તો કલરમાં છે. અમારી ગુજરાતી ટૅક્સ્ટબુકમાં તે બ્લૅક એન્ડ વ્હાઈટમાં હતો. [...]
વીજ્ઞાન અને ધર્મ : ભાગ–૧ પ્રો. પ્રહલાદ પટેલ
Posted in લેખ on September 4, 2008 | 7 Comments »
વીજ્ઞાન સત્ય છે અને ધર્મ પણ સત્ય છે. બંને સત્ય એક જ છે. બંને સત્યો એકબીજાનાં પુરક છે.
જયારે વીશ્વ પછાત અવસ્થામાં હતું ત્યારે માનવસમૂહોમાં અંદરોઅંદર લડાઈ–ઝઘડા થયા કરતા હતા. બુદ્ધીશાળી લોકોએ સારા આચાર–વીચારનું પ્રસ્થાપન કર્યું, જેથી માનવજીવન તુટવા–વીખરાવાને બદલે સ્થીરતા પ્રાપ્ત કરે. સારા આચાર–વીચારને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મનો હેતુ માનવજીવનને સાચો રાહ [...]
